મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો: તમારી ભેગી કરેલી સંપત્તિ તમારા બાળકોને નહીં મળે
- 24 Apr, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સરગુજામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા શ્યામ પિત્રોડાના ઈનહેરિટન્સ ટેક્સવાળા નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની દાનત સારી નથી. હવે તેમની ખરાબ દાનત બહાર આવી ગઈ છે. તેના કારણે તે ઈનહેરિટન્સ ટેક્સની વાત કરી રહી છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસની નજર તમારી કમાણી પર છે. તમારા મકાન, દુકાન અને ખેતર પર. કોંગ્રેસના શેહજાદેનું કહેવું છે કે તે દેશના દરેક ઘર, દરેક છાજલી અને દરેક પરિવારની સંપત્તિનો એક્સરે કરશે. આપણી માતાઓ, બહેનો પાસે જે કંઈ પણ થોડું ઘણું સ્ત્રીધન છે, તેની તે તપાસ કરાવશે. માતાઓ અને બહેનોનું મંગળસૂત્ર છીનવી લેશે.
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે. કોંગ્રેસનું કહેવું છે કે ઈનહેરિટન્સ ટેક્સ લગાવશે. તે ઈચ્છતી નથી કે તમે તમારી મહેનતથી જે સંપત્તિ ભેગી કરી છે, તે તમારા બાળકોને મળે. તે ઈચ્છતી નથી કે ભારતીય પોતાની સંપત્તિ પોતાના બાળકોને આપે. આ પાર્ટી પર હવે અર્બન નક્સલનો કબજો છે. તે તમારા દુકાન અને મકાન પણ છીનવી લેશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ